સોમનાથ મંદિરમાં કરવામાં આવી અનોખી પહેલ, મિલેટ મહોત્સવની શરૂઆત
Live TV
-
એક સપ્તાહ સુધી સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં પિરસાશે જાડા અનાજનું ભોજન
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીઓને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતા ભોજનાલયમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભોજન પ્રસાદનો લાભ લે છે. ત્યારે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ પિરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1500થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.