વર્ષ 2021-22 દરમિયાન 50 લાખ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી ગુજરાત મોખરે રહ્યું
Live TV
-
આયુષ્યમાન ભારત કાર્ડ 50 લાખ નાગરિકોને વર્ષ 2021-22 દરમિયાન કાઢી આપીને ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. નવી દિલ્લી ખાતે ગુજરાતને તાજેતરમાં "આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨" એવૉર્ડ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે એનાયત કરવામાં હતો. ગુજરાતના આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગના અગ્રસચિવ અને કમિશ્નર શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ સ્વીકાર્યો હતો. 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય કરીને 'PMJAY-MA' યોજના કાર્યન્વિત બનાવી છે. નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
