વલસાડ જીલ્લામાં કરાયો જળસંચય યોજનાનો આરંભ
Live TV
-
વિજયભાઇ રૂપાણીએ કર્યો કોંગ્રેસ પર આકરા પ્રહારો.
વલસાડ જિલ્લાના કરાયા ખાતે જળસંચય અભિયાન અંતર્ગત તળાવ અને શ્રમદાનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. જેમાં વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરાયા ગામે જળ સંચય અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિરોધ પક્ષની માનસિકતા મુર્ખાય ભરી છે. જ્યાં કામ 200 કરોડનું પૂરું થયું નથી ત્યાં 2400 કરોડનો ભ્રષ્ટચારની વાતો સમજાતી નથી. છેલ્લા 3 વર્ષમાં ઘાસ સરકાર દ્વારા ખરીદવામાં આવ્યું નથી.
