વિશ્વ ઉમિયાધામ ખાતે 'પાટડી દેસાઈ/ભાયાતોની વંશાવલી' પુસ્તકનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
Live TV
-
વિશ્વ ઉમિયાધામ ખાતે 'પાટડી દેસાઈ/ભાયાતોની વંશાવલી' પુસ્તકનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
આજે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે 'પાટડી દેસાઈ/ભાયાતોની વંશાવલી' પુસ્તકનો ભવ્ય વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ 'વિરાસત અને વિકાસ એકસાથે'નું સૂત્ર આપ્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નવ સંકલ્પોને યાદ કરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "પાટડી" રજવાડું કડવા પાટીદાર સમુદાયનું એકમાત્ર રજવાડું છે, અને હાલના રાજવી શ્રી કર્ણસિંહજી કિસનસિંહજી દેસાઈ, 100મા રાજવી તરીકે પદ સંભાળી રહ્યા છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવરૂપ છે. આ પુસ્તક વંશાવલીના સંરક્ષણ અને સમાજના ઇતિહાસને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપશે.
