શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરી થી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ
Live TV
-
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરી થી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ ઉજવાશે.તેને અનુલક્ષીને મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ એક અંબિકા રથને પ્રસ્થાન કરાવાયું હતું.
મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી તેમજ એસ્ટેટ ઓફિસર પાયલ બેન પટેલ દ્વારા અંબાજી ખાતે આ અંબિકા રથમાં બિરાજમાન થયેલા જગતજનની માં અંબાની શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના અને આરતી કરીને રથને રવાના કરાયો હતો. રથ અંબાજી સહિત આજુબાજુના જિલ્લાઓમાં ફરશે. જેથી લોકો પરિક્રમા મહોત્સવ નો લાભ લઈ શકે.
