શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સ્પંદન મહોત્સવ કાર્યક્રમ યોજાયો
Live TV
-
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે સ્પંદન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સ્પંદન મહોત્સવ અંતર્ગત અંદાજે પાંચ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના નાગરિકોને પણ ભણતર મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે રમત ક્ષેત્રે પણ રાજ્યના ખેલાડીઓ આગળ વધ્યા છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સમાં જોડાવવા માટે આહવાન કર્યું હતું.
