મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે MODI@20 પુસ્તક ઉપર વ્યાખ્યાન યોજાયું
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકર ઓપનયુનિવર્સિટી અમદાવાદ ખાતે MODI@20 ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની સફળ વિકાસયાત્રા ભાગરૂપે આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યોની છણાવટ કરી હતી. કોવિડ મહામારી દરમિયાન દવાઓ, મહિલાઓનો વિકાસ, સફળ કોવિડ રસીકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સર્વગ્રાહી અભિગમ અને અનેક સિધ્ધિઓની ચર્ચા કરી હતી.
