સરદાર પટેલ જયંતિ નિમિતે અમદાવાદમાં હેરીટેજ વોક યોજાઈ, મેયર પ્રતિભા જૈને કરાવ્યો પ્રારંભ
Live TV
-
આજે લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ છે. સરદાર સાહેબનો નાતો અમદાવાદ સાથે ખૂબ નજીકથી રહ્યો છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સદસ્ય તરીકે ત્રણ હજાર અને આઠસો દિવસ રહ્યા હતા તથા એક હજાર પાંચસો પંચાવન દિવસ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા.
આ સંસ્મરણોને વાગોળવા માટે અમદાવાદમાં સરદાર પટેલ હેરીટેજ વોક યોજાઈ. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સરદાર બાગથી સરદાર પટેલ હેરીટેજ વોકનો પ્રારંભ કરાયો. આ હેરીટેજ વોકનો અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને પ્રારંભ કરાવ્યો હતો. સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે મેયર પ્રતિભા જૈન દ્વારા લાલ દરવાજા, દરિયાપુર અને દાણાપીઠ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
