સર્વપ્રથમ અમરેલીમાં મોબાઇલ વાન દ્વારા 200 ગાયોને કરાશે IVF, મોરારીબાપુના હસ્તે મોબાઈલવાનનું લોકાર્પણ
Live TV
-
આ કાર્યક્રમનો શિલાન્યાસ રામકથાકાર મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો.
અમરેલીમાં સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સારી તપોવન તેમજ, 501 ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો શિલાન્યાસ રામકથાકાર મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા,, તેમજ મોરારીબાપુના હસ્તે મોબાઈલવાન IVF નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સારહી ગાયોને દૂધ ઉત્પાદન વધે એ હેતુથી ભારતભરમાં પ્રથમવાર આ મોબાઈલવાન દ્વારા IVF 200 ગાયોને અમર ડેરીના સહયોગથી કરવામાં આવશે. એક ગાયને IVF કરવાનો ખર્ચ 17 થી 18 હજાર રૂપિયા થાય છે. પરતું અમર ડેરી ગાયોનુ IVF નિશુલ્ક કરશે, જેથી પશુપાલકો પર બોજ ના પડે.
