સી.આર.પાટીલના હસ્તે વસ્ત્રાલ ખાતે શ્રી છત્રપતિ શિવાજી ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનું લોકાર્પણ કરાયું
Live TV
-
આજે કર્ણાવતી મહાનગરના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદિશભાઇ પંચાલ દ્વારા 27 શાળાઓના, 5 હજાર વિદ્યાર્થીઓને, ફુલ-સ્કેપ ચોપડાનું વિતરણ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે વિરાટ નગર ખાતે કરવામાં આવ્યું હતું. સતત પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાથે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વસ્ત્રાલ ખાતે શ્રી છત્રપતિ શિવાજી ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેમણે વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી વધુમાં વધુમાં પહોંચે તે માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય જગદિશભાઇ પંચાલ, સહિત અગ્રણીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
