Skip to main content
Settings Settings for Dark

'સુજલામ સુફલામ જળ અભિયાન' અંતર્ગત આ વર્ષે અમદાવાદ જિલ્લાએ મેળવી સિદ્ધી

Live TV

X
  • રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 665 જેટલા કામોનું આયોજન કરાયું છે. આ કામોથી 2900 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થવાનો અંદાજ છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં 1309 કામો પૂર્ણ કરાયા છે. 

    ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ઊંડા કરવામાં આવેલાં તળાવો અને નવાં તળાવોનું વર્ષ 2019માં 27, વર્ષ 2020માં 39, વર્ષ 2021માં 44, વર્ષ 2022માં 101 મળીને કુલ 211 જેટલાં કામો સંપન્ન થયાં છે. આ અભિયાન હેઠળ જળસંગ્રહના કામો જેવા કે તળાવો ઊંડા કરવાં, હયાત ચેકડેમોનું ડીસિલ્ટિંગ, હયાત જળાશયોનું ડીસિલ્ટિંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતું પ્રદૂષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓના કાંઠાઓ ઉપર વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
apply