ખેડૂતો ચણાની ટેકાના ભાવે ખરીદી માટે 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે
Live TV
-
પોરબંદર જિલ્લાના ખેડૂતો ચણાની ટેકાના ભાવે ખરીદી માટે 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે નોધણી કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરુરી જમીન ધારકતા માટે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને પાક વાવણી અંગેના પુરાવા માટે તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને કેન્સલ ચેક પોતાની સાથે રાખવાનો રહેશે. 10 માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવશે.