સુરતમાં સી.આર. પાટીલ દ્વારા ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ
Live TV
-
સુરતમાં સી.આર. પાટીલ દ્વારા ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંબંધિત મતવિસ્તારોના મતદારો સાથે જોડાણ કરવાનો હતો. આ પ્રસંગે વિસાવદર અને ભેંસાણ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને યાદ કરી હતી, જેમાં પાર્ટીએ 156 બેઠકો જીતી હતી. તેમણે આ સફળતાનો શ્રેય ગુજરાતના મતદારોના અતૂટ સમર્થનને આપ્યો. પાટીલે જણાવ્યું હતું કે, "આજે વિધાનસભામાં ભાજપની 161 બેઠકો છે, અને તેને 163 કરવા માટે હું તમારો સાથ-સહકાર માંગવા આવ્યો છું," તેમ કહી તેમણે આગામી પેટાચૂંટણી માટે સમર્થન માંગ્યું હતું.
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનો જે વિકાસ થયો અને જે રીતે પાર્ટી આગળ વધી તેમાં સૌરાષ્ટ્રમાં રહેતા મતદારોનો ખૂબ મોટો ફાળો છે. તેમણે ગુજરાતમાં ભાજપના 30 વર્ષના એકધરા શાસનનો યશ ગુજરાતના મતદારોને આપ્યો અને તેમનો આભાર તથા અભિનંદન પાઠવ્યા.
