સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં, હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણીના અપાયા સૂચનો
Live TV
-
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડની ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય એ હેતુથી અગમચેતીના ભાગ રૂપે સુરત મહાનગર પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્નિ શમન વિભાગની બેઠક મળી હતી અને ટીમ બનાવી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા સૂચનો અપાયા છે. જ્યાં ફાયર ચીફ ઓફિસર બસંત પરીખે પાલિકાના કન્સલ્ટન્ટને જોડે રાખી ફાયર ઓફિસરને તપાસ કરવા આદેશ કર્યા છે. જેમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓક્સિજન સુવિધા સહિત એક્ઝીટ અને ઇન એન્ટ્રી અંગેની પણ તપાસ કરી ઘટતું કરવા સૂચન આપી છે. જેથી ફાયર વિભાગે કોવિડ - 19ને લઈ M.O.U. કરાયેલ 44 જેટલી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે અને કોઈ ખામી જણાય તો ચીફ ઓફિસરને તે અંગે રિપોર્ટ પણ કરશે.
