સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 700 કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી
Live TV
-
વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ&ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.
નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું હતું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે.
યોગને જીવનમાં આત્મસાત કરવા માટે વ્યાસે યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતું.
