સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે રચાયેલા ઝવેરી પંચનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો
Live TV
-
આ પંચના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટીસ કે.એસ. ઝવેરીએ ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે રચેલા સ્વતંત્ર પંચનો અહેવાલ આ પંચના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટીસ કે.એસ. ઝવેરીએ ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવા રચવામાં આવેલા જસ્ટીસ કે.એસ. ઝવેરી કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો છે.