2 થી 8 ઓકટોબર દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરાશે
Live TV
-
રાજ્યમાં તારીખ 2 થી 8 ઓકટોબર દરમિયાન 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે. ત્યારે વન વિભાગ સ્વછતા અભિયાનના સંદેશ સાથે ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરશે.
જે અંતર્ગત રાજ્યમાં આવેલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. ત્યારે આ સાથે રાજ્યના નાગરિકોને પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગંદકી ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા અપીલ છે.
