CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે અમદાવાદ આંધ્ર મહાસભાના હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન કરાયું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે અમદાવાદ આંધ્ર મહાસભાના હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સર્વ ધર્મ - સમભાવની કાર્ય પ્રણાલી વિકસાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યોના પરિવારોના અથાગ પરિશ્રમે રાજ્યના વિકાસમાં મહત્તમ યોગદાન આપી ખરાં અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના વિચારને સાર્થક કર્યો છે."વસુધ્યૈવ કુટુમ્બકમ્ "ની ભાવના સાથે ભારત દેશ અમૃતકાળમાં વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ પ્રસંગે અમદાવાદ આંધ્ર મહાસભાના સભ્યો, ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં અમદાવાદમાં વસતા તેલુગુ પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં.