CM રૂપાણીએ અંબાજી ખાતે મા અંબાના કર્યા દર્શન, મંગળા આરતીમાં લીધો લ્હાવો
Live TV
-
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મા અંબાના દર્શન કર્યા હતા કોરોનાની મહામારી ને લઈને ઘણા લાંબા સમય બાદ મા અંબાના દ્વાર ખુલતા મુખ્યમંત્રીએ સજોડે માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર વિશ્વ આ કોરોનાવાયરસ ની મહામારી માંથી મુક્ત થાય તેવી માં અંબાને પ્રાર્થના પણ કરી હતી
અષાઢી બીજ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સજોડે મા અંબાના દર્શન કર્યા હતા આજે વહેલી સવારે આરતીમાં ઉપસ્થિત રહી અને આરતીનો પણ લાભ લીધો હતો.
