'Misty' પ્રોજેક્ટ અંતર્ગત સુરતના દરિયા કિનારે જમીનનું ધોવાણ અટકાવવા બે હેક્ટરમાં મેંગ્રુવની વાવણી કરાશે
Live TV
-
દરિયા કિનારાની સુરક્ષા માટે અને જમીનનું ધોવાણ ન થાય તે માટે સરકાર દ્વારા મેંગ્રુવ વનસ્પતિ ઉગાડવા 'Misty' પ્રોજેક્ટ બનાવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરતમાં દાંડી, કડિયાબેટ, ડભારી અને ઝીણી કાંઠાના બે હેક્ટરમાં મેંગ્રુવ વાવણી કરાશે.
જ્યારે આવનાર દિવસોમાં હજીરાથી હાસોટ સુધી દરિયા કિનારે 1 હજાર હેક્ટરમાં મેંગ્રુવનું સામ્રાજ્ય જોવા મળશે. પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેંગ્રુવની વાવણીનો આરંભ કરાવશે.