TBના રોગને નાબુદ કરવા અમદાવાદમાં CMAનું આયોજન કરાયુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી 2025 સુધીમાં TBના રોગને નાબુદ કરવાનનું આહ્વાન કર્યું છે. આ સંદર્ભે વ્યુહ રચના અને સંકલન માટે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સંયુક્ત પ્રયાસથી અમદાવાદમાં CMAનું આયોજન કરાયુ હતુ. આ CMA દરમિયાન અમદાવાદ અને આસપાસમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા તબીબોને આમંત્રિત કરાયા હતા અને ટીબી અંગે નવી માહિતી આપવામાં આવી હતી. તબીબોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, ટીબીના દર્દીની માહિતી તુંરંત જ વહિવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવે જેથી સમયસર આરોગ્યતંત્ર તે દર્દીને સારવાર આપી શકે. ટીબીના દર્દી માટે બેટાક્લીન નામની દવાને લોન્ચ કરવામાં આવી છે. જેથી દર્દીને હવે દવાખાને ઇન્જેક્શન લેવા નહિં જવું પડે.
