આજે રાજ્યમાં 23 કોરોના કેસ નોંધાયા, 21 દર્દી ડિસ્ચાર્જ, કોઈ મોત નહી
Live TV
-
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ કોરોના અખબારી યાદી પ્રમાણે આજે રાજ્યમાં કુલ 21 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 5, સુરત શહેરમાં 2, જૂનાગઢમાં 2, દાહોદ, ગીર સોમનાથ, જામનગર, નવસારી, રાજકોટમાં 1-1 કોરોના કેસ નોંધાયો છે.
આજે રાજ્યમાં કુલ 21 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી.
આ સાથે રાજ્યમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. આજે કુલ 3,73,452 લોકોને કોરોના રસીના ડોઝ અપાયા હતા.
