અમદાવાદમાં વધી રહેલા પોઝિટીવ કેસને લઇને મનપા તંત્ર વધુ સક્રિય બન્યું
Live TV
-
અમદાવાદમાં વધી રહેલા પોઝિટીવ કેસને લઇને મનપા તંત્ર વધુ સક્રિય બન્યું છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન બાદ હવે સર્વેની કામગીરી પણ મોટાપાયે કરવામાં આવી રહી છે. મધ્યઝોનના છ વોર્ડમાં બે હજાર કરતાં વધુ કર્મીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. તેમજ લોકોને પણ સતર્ક રહેવા કહેવાયું હતું. આ ઉપરાંત તમામ લોકોને સર્વેની ટીમને સહકાર આપવા જણાવાયું હતું. સેનીટાઇઝેશન, સફાઇની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને ઘરની બહાર ન નિકળવા પણ સલાહ આપવામાં આવી છે.