અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસ ફરી નોંધાઈ રહ્યા હોવાથી, અરવલ્લી જિલ્લાનું સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. ભલે હાલ અરવલ્લી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હોય, તેમ છતાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા મોડાસા, ભિલોડા અને વાત્રક ખાતેની સાર્વજનિક હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તંત્ર રાજ્યમાં વધી રહેલા કેસોને ગંભીરતાથી લઈ રહ્યું છે અને સમયસર પૂર્વતૈયારીઓ કરી રહ્યું છે.