Skip to main content
Settings Settings for Dark

આજથી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની થઇ શરૂઆત

Live TV

X
  • 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું મનાવવામાં આવશે

    ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વર્ષ 1985માં નેત્રદાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય નેત્ર દાન પખવાડિયાની ઉજવણી 1985થી સફળતાપૂર્વક ચાલી રહી છે, અને વર્ષ 2021માં તેની 36મી ઉજવણીનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય નેત્ર દાન પખવાડિયું દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે. આ એક અભિયાન છે જેનો ઉદ્દેશ્ય ચક્ષુના દાનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવાનો છે અને લોકોને મૃત્યુ પછી તેમની આંખો દાન માટે આપવી તે માટે પ્રેરિત કરવાનો છે.

    લોકો આંખો કેમ દાન કરતા નથી તેના કારણો:

    1. સંસ્થાઓ અને હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓ
    2. પ્રશિક્ષિત કર્મચારીઓમાં પણ પ્રેરણાની ગેરહાજરી
    3. સામાજિક અને ધાર્મિક દંતકથાઓ

    નેત્રદાન વિશે જાણવા જેવી વાતો:

    1. નેત્રદાનએ વ્યક્તિના મૃત્યુ પછી તેની આંખોનું દાન કરવું છે.
    2. દાન કરેલી આંખોથી માત્ર કોર્નિયલ બ્લાઇન્ડ લોકોને ફાયદો થાય છે.
    3. કોર્નિયા અંધત્વ એ આંખના આગળના ભાગમાં થયેલા નુકસાનને કારણે દૃષ્ટિની ખોટ છે જેને કોર્નિયા કહેવાય છે.
    4. ઉંમર, લિંગ અને બ્લડ ગ્રુપને ધ્યાનમાં લીધા વગર કોઈપણ વ્યક્તિ પોતાની આંખોનું દાન કરી શકે છે.
    5. મૃત્યુના એક કલાકની અંદર કોર્નિયા કાઢી લેવું જોઈએ.
    6. દાન કરેલ વ્યક્તિની આંખો બે કોર્નિયલ અંધ લોકોની દ્રષ્ટિ બચાવી શકે છે.
    7. આંખોને કાઢવામાં 10-15 મિનિટનો સમય લાગે છે અને મોઢા પર કોઈ જ ડાઘ આવતો નથી.
    8. દાન કરેલી આંખો ક્યારેય ખરીદવામાં કે વેચવામાં આવતી નથી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply