કૅન્સર એટલે કૅન્સલ ?ના બિલકુલ નહી......
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ : 'ક્લોઝ ધ કેર ગેપ'-કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ
કેન્સર રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં દર વર્ષે જુદી-જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day )ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે 'ક્લોઝ ધ કેર ગેપ' એટલે કે 'કેન્સર (cancer)ની સારવારમાં અંતર ઘટાડીએ' ની થીમ પર વિશ્વ કેન્સર દિવસની વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે. ક્લોઝ ધ કેર ગેપ કેમ્પેઇનનો હેતુ વિશ્વભરમાં કેન્સરની સારસંભાળમાં રહેલી અસમાનતાઓને સમજી તેને દૂર કરવાનો છે.
કેન્સરના (Cancer Cured By TrueWorship) ના પડકારને ખુલ્લા મનથી સ્વીકારીને તેની હકીકતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સારવાર કરો તો કંઈ જ અશક્ય નથી. આપણે સૌએ એક વાત સમજવી પડશે તે જો મક્કમ નિર્ધાર હોય તો કેન્સરને હરાવવું મુશ્કેલ નથી બસ પૂરા આત્મવિશ્વાસ સાથે યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવી ખૂબ જરુરી છે. પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે.ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ- જીસીઆરઆઈના સંચાલક ડૉ. શશાંક પંડ્યા જણાવે છે કે, સમયસર તપાસ અને નિદાન કરવામાં આવે તો કેન્સરને હરાવી શકાય. તેમણે કહ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 30 હજાર જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવે છે. કેન્સરની સારવાર માટે આપણે પહેલા કેન્સર શું છે એ જાણવું પડે.....
કેન્સર એટલે શું ?
કેન્સર એ એક રોગ છે જે ત્યારે થાય છે જ્યારે શરીરની અંદરના સામાન્ય કોષોના જૂથમાં ફેરફારો અનિયંત્રિત, અસામાન્ય વૃદ્ધિ તરફ દોરી જાય છે જે એક ગઠ્ઠો બનાવે છે જેને ગાંઠ કહેવાય છે; લ્યુકેમિયા (લોહીનું કેન્સર) સિવાયના તમામ કેન્સર માટે આ સાચું છે. જો સારવાર ન કરવામાં આવે તો, ગાંઠો વધે છે અને આસપાસના સામાન્ય પેશીઓમાં, અથવા લોહીના પ્રવાહ અને લસિકા તંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે, અને પાચન, નર્વસ અને રુધિરાભિસરણ તંત્રને અસર કરી શકે છે અથવા શરીરના કાર્યને અસર કરી શકે તેવા હોર્મોન્સ મુક્ત કરી શકે છે.
કેન્સરની ગાંઠનું વિભાજન;
કેન્સરની ગાંઠોને ત્રણ જૂથોમાં વિભાજિત કરી શકાય છે: સૌમ્ય, જીવલેણ અથવા પૂર્વ કેન્સર
સૌમ્ય ગાંઠો કેન્સરગ્રસ્ત નથી અને ભાગ્યે જ જીવનનો ખતરો હોય છે. તેઓ એકદમ ધીરે-ધીરે વૃદ્ધિ પામે છે, શરીરના અન્ય ભાગોમાં ફેલાતા નથી અને સામાન્ય રીતે સામાન્ય અથવા તંદુરસ્ત કોષો જેવા જ કોષોથી બનેલા હોય છે. જો તેઓ ખૂબ મોટા થાય, અસ્વસ્થતા અનુભવે અથવા અન્ય અવયવોને દબાવી દે - ઉદાહરણ તરીકે મગજમાં ગાંઠ હોય તો જ તેઓ સમસ્યા ઊભી કરશે.
જીવલેણ ગાંઠોઃ સૌમ્ય ગાંઠો કરતાં વધુ ઝડપથી વિકસે છે અને પડોશી પેશીઓને ફેલાવવાની અને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. જીવલેણ ગાંઠોના કોષો મુખ્ય (પ્રાથમિક) ગાંઠમાંથી તૂટી શકે છે અને મેટાસ્ટેસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. નવી સાઇટ પર તંદુરસ્ત પેશીઓ પર આક્રમણ કરીને તેઓ વિભાજિત અને વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે. આ ગૌણ સ્થળોને મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે અને સ્થિતિને મેટાસ્ટેટિક કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.
પ્રિ-કેન્સર (અથવા પ્રિમેલિગ્નન્ટ) એ અસામાન્ય કોષો સાથે સંકળાયેલી સ્થિતિનું વર્ણન કરે છે જે કેન્સરમાં વિકસી શકે છે.
કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?
કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.
પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.
બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.
ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.
ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.કેન્સરના પ્રકાર ?
1.કાર્સિનોમા - આ કેન્સર ત્વચામાં અથવા આંતરિક અવયવોને લાઇન અથવા આવરી લેતી પેશીઓમાં શરૂ થાય છે. એડેનોકાર્સિનોમા, બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા સહિત વિવિધ પેટા પ્રકારો છે.
2. સાર્કોમા - આ કેન્સર હાડકા, કોમલાસ્થિ, ચરબી, સ્નાયુ અથવા રક્ત વાહિનીઓ જેવા જોડાયેલી અથવા સહાયક પેશીઓમાં શરૂ થાય છે
3. લ્યુકેમિયા - આ શ્વેત રક્તકણોનું કેન્સર છે. તે પેશીઓમાં શરૂ થાય છે જે રક્ત કોશિકાઓ બનાવે છે જેમ કે અસ્થિ મજ્જા.
4. લિમ્ફોમા અને માયલોમા - આ કેન્સર રોગપ્રતિકારક તંત્રના કોષોમાં શરૂ થાય છે એક શબ્દાવલિ વસ્તુ ખોલો
5. મગજ અને કરોડરજ્જુના કેન્સર - આને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના કેન્સર તરીકે ઓળખવામાં આવે છેWHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ, વિશ્વભરમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 99 લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ થયું છે. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી જે કોરોનાએ વિશ્વમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે, એના કરતાં પણ અનેકગણો વધુ મૃત્યુઆંક કેન્સરના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં દર વર્ષે કેન્સરના અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેસ નોંધાશે. જો આ અંદાજ સાચો ઠરે તો કેન્સર સામે જાગૃતિ લાવવી જરૂરી રહી છે. જેથી મૃત્યુઆંક પર કાબુ મેળવી શકાય. ભારતમાં જોવા મળી રહેલી કેન્સરની સ્થિતિની વાત કરીએ તો દર 1 લાખની વસ્તીએ 70 થી 90 જેટલા દર્દીઓ કેન્સરથી પીડિત છે. ગ્લોબોકેનના વર્ષ 2020 ના આંકડા પ્રમાણે, ભારતમાં 13 લાખ કેસ કેન્સરના નોંધાયા હતા. જે વર્ષ 2030 સુધીમાં વધીને 15 લાખ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
ICMRના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ 2021ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે.
ગુજરાતમાં વર્ષ 2020માં 69,660 નવા કેસ નોંધાયા હતા. જે વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવા કેન્સર કેસ જોવા મળે છે. અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાં થી28.84% દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12% , મધ્ય પ્રદેશ- 11.4%, મહારાસ્ટ્ર-1%). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
રાજ્યના બજેટમાં છેલ્લા બે વર્ષમાં દર વર્ષે અંદાજીત 104 કરોડના અનુદાનની કેન્સરક્ષેત્રમાં વિવિધ સારવાર અને આધુનિક તકનીકી સુવિધાઓ માટે જોગવાઇ કરીને કેન્સર સામેની લડતમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે. રાજ્યના દૂર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગર માં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનનું કેન્સર જોવા મળે છે.
કેન્સર અંગે ગુજરાતની સ્થિતિ પર એક નજર કરીએ તો, વર્ષ 2020 માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા, જેમાંથી 69,660 કેસ ગુજરાત રાજ્યમાં નોંધાયા, જે વધીને વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજિસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે, દર 1 લાખની વસ્તીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના દર્દીઓ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા (ઓરલ)નું કેન્સર જોવા મળ્યું છે. કેન્સર સામે સમયસર લડવા સ્ક્રીનીંગ એટલે કે પ્રાથમિક તબક્કે કેન્સરના લક્ષણોની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ શક્ય છે. તમાકુ, ધુમ્રપાન કે અન્ય પ્રકારનું વ્યસન કરતા વ્યક્તિના મોઢાની તપાસ કરીને ઓરલ કેન્સરનું નિદાન કરી શકાય છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધતુ જોવા મળી રહ્યું છે. પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ તેનું નિદાન કરીએ તો તેને રોકી પણ શકાય છે. સ્તન કેન્સરના નિદાન માટે ઘરે બેઠા પણ જાત તપાસ કરી શકાય છે. તેમજ મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા ટેસ્ટ સરળતાથી કરાવી શકાય છે. એ સિવાય સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર પણ અનેક લોકોને થતું જોવા મળી રહ્યું છે. જેના નિદાન માટે પેપ ટેસ્ટ કરાવી શકાય છે. જેથી ઝડપથી નિદાન થઈ શકે.
ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા થાય છે
GCRIના ડૉ. પ્રિયાંક રાઠોડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમયની સાથે સતત જુદી જુદી ટેકનોલોજીનથી વિશ્વભરને લાભ થતો રહ્યો છે. હવે તો કેન્સરની કેટલીક સારવાર રોબોટ દ્વારા પણ શરૂ કરાઇ છે. ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર અપાઈ રહી છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સિવિલ મેડિસીટીની G.C.R.I. હોસ્પિટલમાં 45 કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત થયુ છે. 5 મી.મી. સુધીના કદના સાદા અને કેન્સરના ટ્યુમરનું ન્યુનત્તમ આડઅસર સાથે 360 ડિગ્રી સચોટ નિદાન અને સારવાર કરવામાં આવે છે. કિડની, લીવર, ફેફસા જેવા સંવેદનશીલ કેન્સરગ્રસ્ત થયેલા અંગોમાં સર્જરી શક્ય ન હોય ત્યારે સાયબર નાઇફની મદદથી રેડિયોથેરાપી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ છે. ગુજરાતના કેન્સરની સારવાર આપતી સિવિલ કેમ્પસમાં આવેલી GCRI માં વર્ષ 2021 દરમિયાન રેડિયોથેરાપીના 5356 સેશન આપવામાં આવ્યા હતા.કેન્સરનું કારણ શું છે?
એક સર્વે અનુસાર ૧૫ થી ૪૯ વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો...
રાજ્યના ૧૫ થી ૪૯ વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વઘુ જોવા મળ્યુ છે.
કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે
●શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.
●વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.
●દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.
●રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.વર્ષ 1933 માં પ્રથમ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે વર્ષ 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે કેન્સર ડે પર એક નવી થીમ બહાર પાડવામાં આવે છે. તેની પાછળનો હેતુ એ છે કે સામાન્ય લોકોને કેન્સરના જોખમો અને તેના લક્ષણોથી લઈને તેના નિવારણ વિશે જાગૃત કરી શકાય.કેન્સરની શોધ અને ઇતિહાસ
કેન્સર શબ્દની ઉત્પત્તિ ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સ (460–370 BC)ને આભારી છે. તેમને 'ફાધર ઓફ મેડિસિન' પણ ગણવામાં આવે છે. હિપ્પોક્રેટ્સે બિન-અલ્સર અને અલ્સર-રચના ગાંઠોનું વર્ણન કરવા માટે કાર્સિનોમા અને કાર્સિનોમા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ગ્રીકમાંઆ શબ્દ કરચલાને દર્શાવે છે. જે કદાચ રોગ માટે લાગુ પડે છે. 700-800 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરના અવશેષોમાં કેન્સરના કોષોના પુરાવા જોવા મળ્યા હતા. ઘણા સંશોધનો બાદ 2003માં આની શોધ થઈ હતી. તે જ સમયે, 42-39 મિલિયન વર્ષો પહેલા હોમો ઇરેક્ટસમાં સૌથી જૂની હોમિનિડ મેલિગ્નન્ટ ટ્યુમર મળી આવી હતી. લુઈસ લીકીએ આ માહિતી 1932માં આપી હતી. 3000 બીસી. આ સમયગાળા દરમિયાન ઇજિપ્તની મમીમાં કેન્સરના કોષોના પુરાવા મળ્યા હતા. 1600 બીસી તે સમય દરમિયાન, ઇજિપ્તમાં સ્થાનિક લોકો દેવતાઓમાં કેન્સર વિશે વાત કરતા હતા. પ્રાચીન ઇજિપ્તીયન સ્ક્રોલ ગર્ભાશય દ્વારા સારવાર કરાયેલા સ્તન ટયુમરના આઠ કિસ્સાઓનું વર્ણન કરે છે. તેમણે કહ્યું કે બાફેલા જવને ખજૂર સાથે ભેળવીને ખાવાથી પેટના કેન્સરનો ઈલાજ થાય છે. 500 બીસી ભારતમાં રામાયણ વધતી ગાંઠોને રોકવા માટે આર્સેનિક પેસ્ટ સાથેની સારવારનું વર્ણન કરે છે.
50 એડીમાં ઇટાલીમાં રોમનોએ શોધ્યું કે સર્જરી દ્વારા કેટલીક ગાંઠો દૂર કરી શકાય છે. પરંતુ તેણે જોયું કે આ રોગમાં કોઈ દવા કામ કરતી નથી. તેમણે કહ્યું કે તમામ પ્રયાસો પછી પણ કેટલીક ગાંઠો ફરી વધી છે. 1500માં યુરોપમાં કેન્સર શોધવા માટે શબપરીક્ષણ વધુ વખત હાથ ધરવામાં આવ્યું હતું અને આંતરિક કેન્સરની સમજમાં વધારો થયો હતો. 1595માં નેધરલેન્ડમાં ઝાકરિયાસ જાનસેને માઇક્રોસ્કોપની શોધ કરી હતી.