રાજ્યમાં કોરોનાનાં 2,275 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 97.34 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,275 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 8,172 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.34 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 1,66,610 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ 11,78,289 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં 717, સુરતમાં 150, વડોદરામાં 391, રાજકોટમાં 129, મહેસાણામાં 96, બનાસકાંઠામાં 90, ગાંધીનગરમાં 52, કચ્છમાં 31, આણંદમાં 42, ખેડામાં 28, પાટણમાં 52, ભાવનગરમાં 31, ભરૂચમાં 26, મોરબીમાં 17, પંચમહાલમાં 24, સાબરકાંઠામાં 45, નવસારીમાં 24, તાપીમાં 47, દાહોદમાં 19, વલસાડમાં 8, ડાંગમાં 9, દેવભૂમિ દ્વારકામાં 14, ગીર સોમનાથમાં 7, અરવલ્લીમાં 21, છોટાઉદેપુરમાં 15, સુરેન્દ્રનગરમાં 11, અમરેલીમાં 44, જામનગરમાં 32, મહીસાગરમાં 13, નર્મદામાં 7, જૂનાગઢમાં 11, બોટાદમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો.