રાજ્યમાં કોરોનાનાં ૧,૬૪૬ નવા દર્દીઓ સાથે રિકવરી રેટ ૯૭.૮૦ ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં ૧,૬૪૬ નવા દર્દીઓ નોંધાયા છે, જયારે ૩,૯૫૫ દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો ૯૭.૮૦ ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ ૨,૨૮,૫૦૭ દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ ૧૧,૮૭,૨૪૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં ૫૪૬, સુરતમાં ૧૧૬, વડોદરામાં ૩૭૧, રાજકોટમાં ૯૬, મહેસાણામાં ૬૯, બનાસકાંઠામાં ૬૪, ગાંધીનગરમાં ૮૦, કચ્છમાં ૧૨, આણંદમાં ૨૫, ખેડામાં ૩૮, પાટણમાં ૧૩, ભાવનગરમાં ૧૭, ભરૂચમાં ૧૪, મોરબીમાં ૧૬, પંચમહાલમાં ૧૦, સાબરકાંઠામાં ૩૨, નવસારીમાં ૧૩, તાપીમાં ૯, દાહોદમાં ૯, વલસાડમાં ૯, ડાંગમાં ૩, દેવભૂમિ દ્વારકામાં ૩, ગીર સોમનાથમાં ૧, અરવલ્લીમાં ૧૩, છોટાઉદેપુરમાં ૬, સુરેન્દ્રનગરમાં ૮,અમરેલીમાં ૧૫, જામનગરમાં ૮, મહીસાગરમાં ૨, નર્મદામાં ૪, જૂનાગઢમાં ૯, પોરબંદરમાં 1 કેસ નોંધાયો.