Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 1,274 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 97.94 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,274 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 3,022 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.94 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 78,107 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ 11,90,271 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

    અમદાવાદમાં 405, સુરતમાં 58, વડોદરામાં 257, રાજકોટમાં 35, ખેડામાં 41, ગાંધીનગરમાં 54, કચ્છમાં 21, તાપીમાં 21, આણંદમાં 19, પાટણમાં 19, મહેસાણામાં 18, ભરૂચમાં 17, સાબરકાંઠામાં 16, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકામાં 13, જામનગરમાં 15, ગીર સોમનાથમાં 9, વલસાડમાં 9, અરવલ્લીમાં 6,  દાહોદમાં 6, જૂનાગઢમાં 7, સુરેન્દ્રનગરમાં 5, ભાવનગરમાં 5, ડાંગમાં 4, મોરબીમાં 4, નર્મદામાં 3, બોટાદમાં 1, બનાસકાંઠામાં 27 કેસ નોંધાયા.
     

X
apply