રાજ્યમાં કોરોનાનાં 1,040 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.07 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,040 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 2,570 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.07 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 1,58,738 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ 11,92,841 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં 350, સુરતમાં 80, વડોદરામાં 234, રાજકોટમાં 34, ખેડામાં 31, ગાંધીનગરમાં 37, કચ્છમાં 25, મહેસાણામાં 24, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14, આણંદમાં 13, ભરૂચમાં 1, પંચમહાલમાં 11, તાપીમાં 11, જામનગરમાં 10, અરવલ્લીમાં 8, ભાવનગરમાં 11, ગીર સોમનાથમાં 6, મોરબીમાં 6, નવસારીમાં 6, વલસાડમાં 6, પાટણમાં 5, દાહોદમાં 4, મહીસાગરમાં 4, છોટાઉદેપુરમાં 3, નર્મદામાં 3, બોટાદમાં 1, જૂનાગઢમાં 1, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.