છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,435 નવા કેસો નોંધાયા
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,435 નવા કેસો નોંધાયા છે. તેની સાથે કુલ 4,41,79,712 દર્દીઓ સ્વસ્થ થયા હતાં, જ્યારે સક્રિય કેસની સંખ્યા 23,091 થઈ છે. જ્યારે 24 કલાકની અંદર 2,508 દર્દીઓ સજા થયા હતાં. કુલ 220.66 કરોડ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 12થી 14 વર્ષના 4 કરોડ બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે,તો 317 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે જ સ્વસ્થ્ય થવાનો દર 98.97 ટકાએ પહોંચ્યો છે. મંગળવારે કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 95, વડોદરામાં 48, રાજકોટમાં 25, સુરતમાં 38 , ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 6 કેસ નોંધાયા છે, તો અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2,220 પહોંચી છે. જ્યારે 10 દર્દીઓ અત્યારે વેન્ટિલેટર પર છે.