ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ, રસીકરણ અભિયાન 213.20 કરોડને પાર
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,414 દર્દીઓ સ્વસ્થ થતા 4,38,73,430 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. હાલ સાજા થવાનો દર 98.69% થયો. કોરોનાની રસીનો ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન 213.20 કરોડને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 3,20,820 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ રિકવરી રેટ 98.69% છે.