મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અમરેલીમાં રસીકરણ ઝુંબેશ
Live TV
-
છુટાછવાયા વિસ્તારોમાં કામ કરતા ખેતમજૂરો અને શ્રમિકોના 2 વર્ષ સુધીના બાળકોને આવરી લેવાયા
સરકાર દ્વારા મીશન ઇન્દ્રધનુષ અંતર્ગત અમરેલીમાં ખાસ રસીકરણ ઝુંબેશ હાથ દરવામાં આવી છે. દેશમાં બાળમરણ અને માતા મરણ અટકાવવા અમરેલી જિલ્લામાં , સરકારનું અભિયાન 19 મી માર્ચથી , 24 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય શાખાના તમામ અધિકારી તથા કર્મચારી દ્વારા છૂટા છવાયા વિસ્તારમાં રહેતા ખેતમજૂરો તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં કામ કરતા લોકોના બાકી રહેલા , 0 થી 2 વર્ષના બાળકો તેમજ સગર્ભા મહિલાઓને ,રસીકરણ માટે આવરી લેવા , સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. જાગૃતિ માટે બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે અને પેમ્ફલેટનું વિતરણ કરાયું છે.