રાજ્યમાં કોરોનાનાં 12,131 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 89.56 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,131 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 22,070 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 89.56 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 1,94,350દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું.
અમદાવાદમાં 4124, સુરતમાં 1071, વડોદરામાં 2517, રાજકોટમાં 1213, મોરબીમાં 138, મહેસાણામાં 157, નવસારીમાં 151, ભરૂચમાં 148, ભાવનગરમાં 208, ગાંધીનગરમાં 399, વલસાડમાં 166, આણંદમાં 138, ખેડામાં 129, કચ્છમાં 206, જામનગરમાં 269, મહીસાગરમાં 23, સુરેન્દ્રનગરમાં 69, તાપીમાં 39, દેવભૂમિ દ્વારકામાં 27, અરવલ્લીમાં 18, બનાસકાંઠામાં 157, દાહોદમાં 35, જૂનાગઢમાં 84, પોરબંદરમાં 10 કેસ, નર્મદામાં 18 કેસ, ડાંગમાં 10 કેસ, સાબરકાંઠામાં 106 કેસ નોંધાયા છે.