રાજ્યમાં કોરોનાનાં 24,485 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 88.51 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 24,485 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 10,310 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 88.51 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,47,111 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
અમદાવાદમાં 9,957, સુરતમાં 3,709, વડોદરામાં 3,194, રાજકોટમાં 1,521, ભાવનગરમાં 587, ગાંધીનગરમાં 734, વલસાડમાં 446, ભરૂચમાં 408, નવસારીમાં 297, મોરબીમાં 206, મહેસાણામાં 354, જામનગરમાં 599, આણંદમાં 558, બનાસકાંઠામાં 174, કચ્છમાં 346, ખેડામાં 112, પાટણમાં 180, સુરેન્દ્રનગરમાં 156, નર્મદામાં 14, દાહોદમાં 82, પોરબંદરમાં 110, સાબરકાંઠામાં 111, અમરેલીમાં 128, દેવભૂમિ દ્વારકામાં 45, તાપીમાં 70, પંચમહાલમાં 110, ગીર સોમનાથમાં 40, મહીસાગરમાં 24, જૂનાગઢમાં 159, ડાંગમાં 9, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, છોટાઉદેપુરમાં 5, કેસ નોંધાયા છે.