રાજ્યમાં કોરોનાનાં 423 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 96.39 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 423 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 702 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 96.39 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 78,319 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 કેસ નોંધાયા છે. તો 702 દર્દીઓ સ્વસ્થ થયા છે અને એકનું મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 96.39 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 2,49,352 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. આજે કુલ 510 કેન્દ્રો પર 31,116 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી. અત્યાર સુધીમાં કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
સુરતમાં 75, અમદાવાદમાં 85, વડોદરામાં 22, રાજકોટમાં 13, ગાંધીનગરમાં 11, જામનગરમાં 1, બનાસકાંઠામાં 3, મહેસાણામાં 6, ભરૂચમાં 2, જૂનાગઢમાં 9, ભાવનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 3, મોરબીમાં 4, અમરેલીમાં 1, કચ્છમાં 11 કેસ નોંધાયા છે.