રાજ્યમાં કોરોનાનાં 51નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.71 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 51 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 55 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.71 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 87,189 વ્યકિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
અમદાવાદમાં 18, વડોદરામાં 10, સુરતમાં 6, રાજકોટમાં 5, મહેસાણામાં 1, જામનગરમાં 1, વલસાડમાં 1, નવસારીમાં 3, કચ્છમાં 3, દ્નારકામાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1 કેસ નોંધાયો છે.