રાજ્યમાં કોરોનાનાં 60 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.71 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 60 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 24 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.71 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 2,40,943 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુઘીમાં 8,17,745 વ્યકિતઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં 8, વડોદરામાં 14, સુરતમાં 5, રાજકોટમાં 13, ભરુચમાં 1, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, જામનગરમાં 3, વલસાડમાં 2, નવસારીમાં 3, કચ્છમાં 7 કેસ નોંધાયો છે.