રાજ્યમાં 24 કલાકમાં નવા 58 કેસ, એક દિવસમાં 2.50 લાખથી વધુ લોકોએ લીધી રસી
Live TV
-
ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં નવા 58 કેસ નોંધાયા છે. 56 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાના કારણે રાજ્યમાં સાજા થવાનો દર 98.71 ટકા થયો છે. આજે રાજ્યમાં ફુલ 2,56,452 લોકોએ કોરોનાની રસી લીધી. રાજ્યમાં અત્યાર સુધી સાડા 8 કરોડથી વધુ લોકો વેક્સીનેટેડ થઈ ગયા છે. અત્યાર સુધી 8.17 લાખથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે 19 કેસ નોંધાયા, વડોદરામાં 13, રાજકોટમાં 15 તો સુરતમાં 2 કેસ નોંધાયા છે.