સગર્ભા મહિલાઓ અને ૦ થી ૦૫ વર્ષના બાળકોની રસીકરણની કામગીરી દર બુધવારે યોજાશે
Live TV
-
રસીકરણની આ રૂટીન કામગીરી ઉપરાંત અઠવાડિયાના બાકીના દિવસોએ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી યથાવત રહેશે.
કોરોના વાયરસ પ્રતિરોધક રસીકરણ અભિયાન ઝુંબેશરૂપે ચાલી રહ્યું છે. જેના પરિણામે કોવિડ-૧૯ના દર્દીઓમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં સ્થિતિ સામાન્ય થતાં આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૦૫ વર્ષના બાળકોઅનેસગર્ભા મહિલાઓને આપવામાં આવતી રસી માટેની આવશ્યક એવી રસીકરણલક્ષી આરોગ્ય સેવાઓ પણ પૂર્વવત કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા હવેથી અઠવાડિયાના દર બુધવારે ૦ થી ૦૫ વર્ષના બાળકો તથા સગર્ભા મહિલાઓની રૂટીન રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ સિવાય અઠવાડિયાના બાકીના તમામ દિવસોએ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી યથાવત રહેશે.