ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી
Live TV
-
ઈરાને રવિવારે સવારે ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા, જેને ઈરાને સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર કરેલા હુમલાની જવાબી કાર્યવાહી જણાવી
પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ.’
મંત્રાલયે કહ્યું કે,” તે બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય દૂતાવાસો ભારતીય સમુદાય સાથે ગાઢ સંપર્કમાં છે. તે મહત્વનું છે કે, પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.”
નોંધનીય છે કે, ઈરાને રવિવારે સવારે ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર, થયેલા હુમલા બાદ આ જવાબી કાર્યવાહી હોવાનું કહેવાય છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અનુસાર, આ એક લક્ષ્યાંકિત હુમલો છે.