ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને લઈ ભારતીય વિદેશ મંત્રાલયે કરી આ અપીલ....
Live TV
-
ઈરાન સાથે યુદ્ધ લડવા માટે ઈઝરાયેલ સંપૂર્ણ પણે સમક્ષ છે : બેન્જામિન નેતન્યાહૂ
13 એપ્રિલના રોજ ઈરાને ઈઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાને મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 100 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જોકે ઈઝરાયેલે ઈરાનના હુમલાને એર ડિફેન્સ સુરક્ષા દ્વારા નિષ્ફળ બનાવ્યો હતો.
ત્યારે આજરોજ તાત્કાલિક ધોરણં સંયુક્ત રાષ્ટ્ર પરિષદે બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈરાન-ઈઝરાયેલને યુદ્ધ પર રોક લગાવવાની અપીલ કરવામાં આવશે. તે ઉપરાંત ઈરાનના હુમલા બાદ વિશ્વના તમામ દેશોએ જુદી-જુદી પ્રક્રિયા આપીને પોતાનો અભિય્રાય જણાવ્યો છે. ત્યારે ભારતે પણ આ મામલે પોતાનો પ્રતિસાદ આપ્યો છે.
ભારતે ઈરાન-ઈઝરાયેલ બંને દેશને શાંતિ જાણવવા માટે અપીલ કરી છે. ભારતી વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ઈરાન-ઈઝરાયેલ જે રીતે એકબીજા ઉપર હુમલા કરી રહ્યા છે, તે ભારત સહિત અનેક દેશ માટે વિકટ પરિસ્થિતનું કારણ બની રહ્યું છે. ભારત બંને દેશને શાંતિ જાણવવા, સંયમ રાખવા, હિંસાના રસ્તાઓ પરથી પરત ફરવાનું આહ્વાન કરી રહ્યું છે.
જોકે ઈરાનના હુમલાને લઈ ઈઝરાયેલના પ્રધાનમાંત્રીએ નિવેદન આપ્યું હતું કે, ઈરાનના હુમલાનો જવાબ વહેલી તકે આપવામાં આવશે. ઈઝરાયેલ ઈરાનના કોઈ પણ પ્રકારના હુમલાને ટક્કર આપી શકે છે અને તેની સામે યુદ્ધ કરવા માટે સમક્ષ છે.