ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કંબોડિયામાં યોજાયેલ આસિયાન-ભારત સમિટમાં આપી હાજરી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કંબોડિયાના પ્રવાસે છે. તેઓએ 19માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ વર્ષે આસિયાન-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠ છે. ઉપરાષ્ટ્રપતિએ કંબોડિયાનાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. કંબોડિયા સાથે ભારતે 4 સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ બેઠકને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, ભારત-આસિયાન સંબંધો ભારતની ACT-EAST નીતિનો કેન્દ્રિય સ્તંભ છે અને આ જોડાણે 1992માં કેન્દ્રીય ભાગીદારીથી લઈને 2022માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર સુધીના આધુનિક સમયમાં મજબૂત સંબંધ બનાવવાનો પાયો પૂરો પાડ્યો છે.
વધુમાં જણાવતા કહ્યું કે, 3 દાયકામાં કનેક્ટિવિટીથી લઈને ક્લાઈમેટ ચેન્જ, સુરક્ષાથી લઈને અવકાશ, શિક્ષણથી લઈને ઈકોલોજી અને ટેક્નોલોજી સુધીના સંબંધોમાં બહુપક્ષીય અને બહુપરિમાણીય વૃદ્ધિ જોવા મળી છે જે ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
