કૈલાશ માનસરોવર યાત્રાની સિક્કિમથી થઈ શરુઆત
Live TV
-
રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે નાથુલાથી 36 યાત્રાળુઓના સમૂહને આપી લીલી ઝંડી
કૈલાશ માનસરોવર યાત્રા આજે સિક્કિમથી શરૂ થઈ છે.રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે નાથુલાથી 36 યાત્રાળુઓના સમૂહને લીલી ઝંડી આપી રવાના કર્યા છે.આ દરમિયાન ઓમ પ્રકાશ માથુરે યાત્રાળુઓ સાથે વાતચીત કરી.પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સી.એસ.રાવે કહ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા સુગમ રહે તે માટે વિવિધ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે.
