પાકિસ્તાનમાં એરબેઝ પર મોટો આતંકી હુમલો કર્યો
Live TV
-
પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આતંકી સંગઠન તહરીક-એ-જેહાદે આ હુમલાની જવાબદારી લીધી છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં મિયાંવાલી એરબેઝને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે.
એવું જાણવા મળ્યું હતું કે પાંચથી છ ભારે હથિયારોથી સજ્જ માણસોના જૂથે વહેલી સવારે હુમલો કર્યો, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો. હુમલાની પુષ્ટિ કરતા PAFએ કહ્યું કે આતંકવાદીઓ એરબેઝમાં પ્રવેશ કરે તે પહેલા તેઓએ હુમલાને નિષ્ફળ બનાવી દીધો.
વિસ્તારને સંપૂર્ણપણે સાફ કરવા માટે એક વિશાળ સંયુક્ત સર્ચ ઓપરેશન અંતિમ તબક્કામાં છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલામાં એરફોર્સ બેઝની અંદર પાર્ક કરેલા ઘણા વિમાનો નાશ પામ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP) એ હુમલાની જવાબદારી લીધી છે.
