બાંગ્લાદેશના મદારીપુર જિલ્લામાં એક બસ ખાઈમાં પડી જતાં લગભગ 16 લોકોના મોત અને 24 થી વઘુ લોકો ઘાયલ
Live TV
-
બાંગ્લાદેશના મદારીપુર જિલ્લામાં આજે સવારે એક બસ ખાઈમાં પડી જતાં લગભગ 16 લોકોના મોત અને 24 થી વઘુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઢાકા તરફ જઈ રહેલી બસ ખાઈમાં પડી હતી. જેમાં બસના ડ્રાઈવર સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલ લઈ જતી વખતે વધુ 2 લોકોના મોત નિપજ્યાં હતા.
આ ઘટનાને ધ્યાનમાં લઈને સ્થળ પર્ અગ્નિશામક દળ અને પોલીસની મદદથી રાહત અને બચાવ કર્યા હાથ ધરવામાં આવ્યું હતું.
