ભારતે આજે ભૂકંપથી અસરગ્રસ્ત નેપાળને રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો
Live TV
-
ભારતે આજે ભૂકંપથી અસરગ્રસ્ત નેપાળને રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો. વિશેષ ભારતીય વાયુસેના સી-130 વિમાન ગઈકાલે રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યું હતું, જેમાં તંબુ, ધાબળા, તાડપત્રી તેમજ આવશ્યક દવાઓ અને તબીબી સાધનો મોકલવામાં આવ્યા છે.
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ઇમરજન્સી રાહત સામગ્રીનો આ પ્રથમ જથ્થો નેપાળગંજ પહોંચ્યો હતો. ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળનાં નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રી પૂર્ણ બહાદૂર ખડકાને આ રાહત સામગ્રી સોંપી હતી.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના ભૂકંપ પડિતોને શક્ય તમામ મદદ કરવા વ્યક્ત કરેલી પ્રતિબધ્ધતાને પૂર્ણ કરતા આ સહાય પહોંચાડવામાં આવી રહી છે.
