ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ, મેક ઈન ઈન્ડિયાને મળશે નવી તાકાત
Live TV
-
ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં બંને દેશોએ એક 'વચગાળાની વ્યાપાર સમજૂતી'ને આખરી ઓપ આપ્યો છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફમાં ૧૮ ટકાનો ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેને પ્રધાનમંત્રી મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં બંને દેશોએ એક 'વચગાળાની વ્યાપાર સમજૂતી'ને આખરી ઓપ આપ્યો છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફમાં ૧૮ ટકાનો ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેને પ્રધાનમંત્રી મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.
PM મોદીએ ટ્રમ્પનો માન્યો આભાર: "સંબંધોમાં નવો વિશ્વાસ"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખુશી વ્યક્ત કરતા PM મોદીએ લખ્યું કે, આ સમજૂતી બંને દેશોની ભાગીદારીમાં રહેલી ગતિશીલતા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની અંગત પ્રતિબદ્ધતા બદલ તેમનો આભાર માન્યો.રોજગારીની નવી તકો: આ ડીલથી ભારતના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSME), સ્ટાર્ટઅપ્સ અને ખેડૂતો માટે અમેરિકાના બજારના દ્વાર ખુલશે, જેનાથી યુવાનો અને મહિલાઓ માટે મોટા પાયે રોજગારીનું સર્જન થશે.
મજબૂત સપ્લાય ચેઈન: આ કરારથી વૈશ્વિક સ્તરે ભારત એક ભરોસાપાત્ર સપ્લાય ચેઈન પાર્ટનર તરીકે ઉભરી આવશે.
કયા ક્ષેત્રોને થશે સીધો ફાયદો?
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ સમજૂતીની વિગતો આપતા જણાવ્યું કે, અમેરિકા દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે અને ત્યાં ભારતીય ઉત્પાદનોને મળનારી છૂટછાટ નિકાસમાં ક્રાંતિ લાવશે:ઝીરો ટેરિફનો લાભ: જેનરિક દવાઓ, રત્ન-ઝવેરાત અને એરક્રાફ્ટ પાર્ટ્સ જેવા મહત્વના ક્ષેત્રોમાં ટેરિફ ઘટીને ૦% (શૂન્ય) થઈ જશે.
નિકાસમાં ઉછાળો: ટેક્સટાઈલ, કપડાં, ચામડાની વસ્તુઓ, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર પ્રોડક્ટ્સ અને હસ્તકલા જેવી ચીજો પર હવે અમેરિકામાં ઓછો ટેક્સ લાગશે, જેનાથી ભારતીય સામાન વધુ સ્પર્ધાત્મક બનશે.
ઓટો સેક્ટર: ભારતીય ઓટો પાર્ટ્સ માટે પણ ખાસ રાહતદરે ટેરિફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભારતીય ખેડૂતોના હિતોનું રક્ષણ
આ સમજૂતીની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતે પોતાના સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રોને સુરક્ષિત રાખ્યા છે. મકાઈ, ઘઉં, ચોખા, સોયા, દૂધ, પનીર અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ પર ભારતે કોઈ જ બાંધછોડ કરી નથી, જેથી ગ્રામીણ આજીવિકા અને ખેડૂતોના હિતો પર કોઈ અસર ન પડે.'વિકસિત ભારત' તરફ એક મજબૂત કદમ
જ્યારે ભારત ૨૦૪૭ સુધીમાં 'વિકસિત રાષ્ટ્ર' બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે અમેરિકા સાથેની આ વ્યાપારિક સમજૂતી એક મોટું સીમાચિહ્ન સાબિત થશે. તે માત્ર વેપાર જ નહીં, પરંતુ ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને પણ નવી ઊંચાઈએ લઈ જશે.
