રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આંતકવાદી હુમલામાં 11 આરોપીઓની અટકાયત
Live TV
-
આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યો છે
રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આંતકવાદી હુમલામાં 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ હુમલામાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યો છે. તેમજ હુમલાખોરોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રશિયામાં રાજધાની મોસ્કો પાસે આવેલા કોન્સર્ટ હોલ પરિસરમાં હુમલાખોરોએ ફાયરિંગ કરતા અને લોકોના મોત નિપજ્યાં હતા. જેથી 70થી વધારે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પીડિતોની સહાયની કામગીરીમાં વ્યસ્ત કરી દેવામાં આવી હતી. આ પરિસરની છત પર ભીષણ આગ લાગી હતી, જેથી સુરક્ષામાં રશિયન સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા લગભગ 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલાની ભારત, ઈટાલી, ફ્રાંસ, સ્પેન, જર્મની સહિતના દેશોએ નિંદા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, દુ:ખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે છે.