3 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા સોમાલિયામાં હવે અતિભારે વરસાદ થયો
Live TV
-
આશરે છેલ્લાં 3 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા સોમાલિયામાં હવે અતિભારે વરસાદ થયો છે અને તેના લીધે ત્યાં ભારે પૂર આવ્યું છે. જેના કારણે ગામોનાં ગામ પાણીમાં ડૂબ્યાં છે અને અનેક વિસ્તારો અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
કેન્યા અને સોમાલિયામાં અચાનક આવેલા પૂરના કારણે 30 લોકોના મૃત્યુ થયા છે અને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સરકારે સોમાલિયામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.. સોમાલિયામાં 2020 થી ગત વર્ષ સુધી વરસાદ પડ્યો નથી.
આ કારણે લગભગ 14 લાખ લોકોએ સોમાલિયા છોડી દીધું, જ્યારે 38 લાખ પશુઓ દુષ્કાળને કારણે મૃત્યુ પામ્યા હોવાનો સ્થાનિક મીડિયો દાવો છે. હાલ દુષ્કાળ બાદ સોમાલિયામાં લીલા દુકાળે લોકોનું જીવન અસ્તવસ્ત કરી નાખ્યું છે.
